શનિની સાડા સાતી પૂરી, હવે આ 4 રાશિઓને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે શનિદેવ, સઘળા દુ:ખ દૂર કરશે

Lord Shani : હે ભગવાન તમે ક્યારેય નારાજ ન થતા,  શનિ ભગવાન નારાજ થાય તો ઘણી સમસ્યા આવી શકે છે. તમને ખબર નહીં હોય પણ આ વાત સાચી છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર શનિની સાડા સાતી હોય તે વ્યક્તિ પર સારા અને ખરાબ બંને પ્રભાવ હોઈ શકે છે. કેટલીક રાશિવાળા પર શનિદેવ ખુબ કૃપા વરસાવશે. જે તમને મોટો લાભ આપશે.

શનિની સાડા સાતી પૂરી, હવે આ 4 રાશિઓને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે શનિદેવ, સઘળા દુ:ખ દૂર કરશે

Loard Shani : જો તમારી આ રાશી છે તો આ તમારા માટે મોટી ખુશખબર છે. હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતા છે જેમાંથી એક શનિદેવ પણ છે. તેમને ન્યાયના દેવતા પણ કહે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર શનિની સાડા સાતી હોય તે વ્યક્તિ પર સારા અને ખરાબ બંને પ્રભાવ હોઈ શકે છે. કેટલીક રાશિવાળા પર શનિદેવ ખુબ કૃપા વરસાવશે.  અનેક લોકોના મનમાં શનિદેવને લઈને ડર પણ રહે છે. તો કેટલાક લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિ રવિ પૂજા અર્ચના કરતા હોય છે.

4 રાશિવાળા પર શનિદેવ હવે મહેરબાન થશે

જ્યોતિષના જાણકારો મુજબ શનિની સાડા સાતી પૂરી થઈ ચૂકી છે અને 12 રાશિઓમાંથી 4 રાશિવાળા પર શનિદેવ હવે મહેરબાન થશે. દરેક પ્રકારના સંકટ અને સમસ્યાથી શનિદેવ છૂટકારો અપાવશે. એવી 4 રાશિઓ વિશે જાણો જેમના પર શનિદેવના આશીર્વાદ વરસશે. આ રાશિઓએ ખાસ લાભ મળી રહેશે. 

કન્યા રાશિ
તમારા પર શનિદેવ મહેરબાન છે. નોકરીયાતોને પ્રમોશન મળશે. પગારમાં વધારો થશે. વેપાર કરનારાઓને અનેક પ્રકારથી ધનલાભ થશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકોની આ મનોકામના પૂરી થશે. જો તમે નવું ઘર લેવા માંગતા હોવ તો જલદી આ યોજનાઓ પૂરી થઈ શકશે. એવા લોકો જેમના વિવાહ નથી થતા તેમને જલદી પોતાના લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. શનિદેવની કૃપાથી અટવાયેલા કામ પાર પડશે. 

મકર રાશિ
તમારા પર શનિદેવની અપાર કૃપા રહેશે. તમારા બધા કામ પાર પડતા જશે. કામકાજમાં સફળતા અને નોકરીયાતોને પ્રમોશન મળશે. વિદેશ મુસાફરીની તક મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. અભ્યાસમાં સફળતા મળશે. શનિદેવની ખાસ કૃપાથી તમારા જીવનના તમામ દુ:ખ દુર થશે. ધનલાભ થઈ શકે છે. 

મેષ  રાશિ
શનિદેવની તમારા પર ખાસ કૃપા થવાની છે. તમારા અનેક પ્રકારના કામ સફળતાપૂર્વક પાર પડશે. અટવાયેલા કાર્ય પૂરા થશે. માન સન્માનમાં વધારો થશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આવકમાં વધારો થવાના અનેક રસ્તા ખુલશે. શનિદેવની પૂજા કરવાથી તમને તેમની ખાસ કૃપા પ્રાપ્ત થશે. કારોબારમાં વધારો થવાની સંભાવના છે. જો કોઈ નવું કાર્ય કરવાનું વિચારતા હોવ તો તમારા માટે સારો સમય છે. 

વૃષભ રાશિ
શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. તમને અનેક રીતે કાર્યોમાં પ્રગતિ થશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું તમને હવે ફળ મળશે. દરેક પ્રકારના કાર્યો સફળતાપૂર્વક પાર પડશે. સમાજ અને ઘર પરિવારના સભ્યો વચ્ચે તમારું માન સન્માન વધશે. આવકમાં વધારો અને અટવાયેલા કાર્યો પૂરા થશે. શનિદેવની કૃપાથી તમે જે કામ કરવાનું નક્કી કરી લેશો તે જરૂર પૂરું થશે. 

શનિવારના દિવસે તમારી સાથે કોઈ ને કોઈ નુકસાન થાય છે તો તમારે શનિદેવને શાંત કરવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ અને વિશેષ પૂજા પદ્ધતિથી શનિદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાય જણાવીશું. જેનાથી તમે શનિવારે શનિદેવને પ્રસન્ન કરી શકો છો.

શનિવારના ઉપાયો

- શનિવારે તેલથી બનેલી વાનગી ભિક્ષુકને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

- બ્રહ્મ મુહૂર્તમાં પીપળના વૃક્ષને જળ અર્પણ કરો અને 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો, પછી પીપળના વૃક્ષને સ્પર્શ કરો અને સાત પરિક્રમા કરો.
- શનિવારે ભિક્ષુકને કાળા અડદનું દાન કરો.

- શનિવારે સાંજે તમારા ઘરમાં ગુગલનો ધૂપ પ્રગટાવો.

- શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કાળા અડદને પાણીમાં પ્રવાહિત કરો.

- શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

- શનિવારે અડદ, તલ, તેલ, ગોળના લાડુ બનાવીને એવી જગ્યાએ દાટી દો જ્યાં કોઈની પણ હલનચલન ન હોય. આમ કરવાથી પણ તમારા પર શનિદેવની કૃપા વરસશે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news