Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો

Kitchen Tips: ઘી નકલી છે કે અસલી એ શંકા દૂર કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અજમાવી શકો છો. કારણ કે જો તમે નકલી ઘી ખાઓ છો તો તે તમારા માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો

Ghee Purity: ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ઘીમાંથી ઘણી બધી અદ્ભુત વાનગીઓ બનાવવામાં આવે છે અને તેના વિના તેને બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ જે ઘી તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા આહારમાં સામેલ કરો છો, તે ક્યાંક અસલી છે કે ભેળસેળયુક્ત? હવે તમે વિચારતા હશો કે ઘીમાં શું ભેળસેળ થઈ શકે છે.

અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડના ઘીમાં પણ ભેળસેળ જોવા મળી હતી. આવી સ્થિતિમાં તમે પરેશાન થવાને બદલે તમે કેટલીક સરળ રીતોથી અસલી અને નકલી ઘી ઓળખી શકો છો. નકલી ખાદ્યપદાર્થો ખરીદવાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ઉધઈની જેમ નષ્ટ કરે છે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

ગરમ કરીને
ઘી ભેળસેળયુક્ત છે કે નહીં તે જાણવા માટે તમે ઘી થોડી માત્રામાં ગરમ ​​કરો અને જો તે તરત જ પીગળી જાય અને ગરમ થતાં જ બ્રાઉન થઈ જાય તો તેનો અર્થ એ કે તમારું ઘી શુદ્ધ છે અને તેમાં કોઈ ભેળસેળ નથી. જો તમારા ઘરમાં મોજૂદ ઘી ઓગળવામાં સમય લઈ રહ્યું છે અને તે બ્રાઉનને બદલે પીળું થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે આ ઘી ભેળસેળયુક્ત છે.

હથેળી પર ઘસો
બીજી રીત અજમાવવા માટે તમારે ગેસ અથવા કોઈ સામગ્રીની જરૂર નથી કારણ કે તમે ફક્ત તમારી હથેળી દ્વારા સત્ય શોધી શકો છો. હા, એવું કહેવાય છે કે અસલી અને નકલી ઘી ઓળખવા માટે જ્યારે તમારી હથેળી પર થોડું ઘી લગાવો, જ્યારે તે ઓગળવા લાગે, ત્યારે સમજવું કે તમારું ઘી શુદ્ધ છે. બીજી તરફ, જો ઘી હથેળીઓ પર ઘસવા છતાં પણ ઓગળતું નથી, પણ જામેલું રહે છે, તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

મીઠા દ્વારા કરો ઓલખ
મીઠું તમને તે શુદ્ધ ઘી છે કે ભેળસેળવાળું ઘી શોધવામાં પણ મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં એક ચમચી ઘી નાખો અને પછી તેમાં બે ચપટી મીઠું અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. પછી આ પેસ્ટને આમ જ રહેવા દો. 20 થી 25 મિનિટ પછી, જો ઘીમાંથી કોઈ અલગ રંગ નીકળે, તો સ્પષ્ટ છે કે તમારું ઘી નકલી છે અને જો કોઈ રંગ ન નીકળે તો ઘી શુદ્ધ છે.

પાણીનો ઉપયોગ
તમે ઘીનું સત્ય જાણવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખો અને જો ઘી પાણીની ઉપર તરતું હોય તો તે અસલી છે અને જો તરતા બદલે પાણીની નીચે એકઠું થતું હોય તો તેનો અર્થ છે કે ઘી ભેળસેળયુક્ત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news