ગુજરાતમાં અહીં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો; આ રીતે હિન્દુઓએ કરાવી મુસ્લિમ પરિવારને હજયાત્રા

હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ઘરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા કોમી એકતાના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 

ગુજરાતમાં અહીં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો; આ રીતે હિન્દુઓએ કરાવી મુસ્લિમ પરિવારને હજયાત્રા

અલ્કેશ રાવબનાસકાંઠા: વિશ્વમાં માનવતાએ સૌથી મોટો ધર્મ અને તેની પ્રતીતિ કરાવતું ગામ એટલે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જ્યાં કોમી એકતાના દર્શન થાય છે. હિન્દુ સમાજના આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે અને આ મુસ્લિમ પરિવાર સાથે હિન્દુ સમાજના લોકોનો વર્ષોથી એવો ઘરોબો છે કે આજે મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા કોમી એકતાના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 

બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે. પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે. પરંતુ આ રૂપપુરા ગામે એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે 1960થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે.

આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને નવરાત્રીનો સમય હોય હોળી ધુળેટીનો સમય હોય કે દિવાળી હોય તમામ તહેવારો પણ સાથે ઉજવ્યા છે અને મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. 60થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે. 

ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પઢવા માટે જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને ગામના રામદેવપીરના મંદિરમાં તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યું છે. મુસ્લિમ પરિવારના સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજયાત્રા એ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે અને તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે. 

આજે રૂપપૂરા ગામ તેમની ફૂલહાર સાથે વિદાય આપવા એકઠું થયું છે. આ ગામમાં આટલા વર્ષો થી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામ સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે હળી મળી ને રહે છે. રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મન્સૂરી પરિવાર હજયાત્રા માટે જઈ રહ્યા છે જેને વિદાય આપવા માટે સમગ્ર ગ્રામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. 

જોકે આ વિદાયથી મુસ્લિમ પરિવારના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વ ધર્મ સમભાવની ભાવના વર્ષોથી અમે આ રૂપપુરા ગામમાં જોઈ છે અને આ રૂપપુરા ગામના ગ્રામજનો દ્વારા અમને વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવે છે અને અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ અને આજે આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું છે અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે. 

અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને આ હજની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામમાં આ જિલ્લો રાજ્ય અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વ ધર્મ સમભાવની ભાવનાથી સાથે રહે તેવી પ્રાર્થના સાથે દુવાઓ કરીશું અને આ ગામ એ સમગ્ર લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે વર્ષોથી એક ભાઈચારાની ભાવના કેવી રીતે કેળવાય અને હિન્દુ સમાજના લોકો વચ્ચે એક મુસ્લિમ પરિવારને જે પ્રેમ સ્નેહ આપ્યો છે તે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. 

રૂપપુરા ગામનું મુસ્લિમ પરિવાર ગામમાં હંમેશા હળીમળીને રહ્યું છે તો ગામના હિન્દૂ લોકો પણ કોઈ નાતજાત કે ધર્મના ભેદભાવ વગર જીવી રહ્યા છે. જોકે આજદિન સુધી ગામમાં રહેતા મુસ્લિમ પરિવારે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી. જોકે આજે હજ પઢવા રવાના થતા પહેલા મુસ્લિમ પરિવારે તેમનાથી કોઈ અજાણતા ભૂલ થઈ હોય તો તે માટે ગામના મંદિરમાં હિન્દૂ ભાઈઓ સામે માફી-સાફી માંગી હતી. જોકે પવિત્ર કામે જતા આ મુસ્લિમ પરિવારે માફી-સાફી કરતા ગામના લોકોએ ગામ લોકોએ તેમની નિખાલસતાને બિરદાવી હતી અને ગામમાં હંમેશા ભાઈચારો બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news