Nostradamus predictions about 2022: ભારે ઉથલપાથલવાળું છે વર્ષ 2022, આ નેતાનું થશે મોત, જાણો નોસ્ત્રાડેમસની 7 ભવિષ્યવાણી

Nostradamus most important predictions about 2022: ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાડેમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને સ્તબ્ધ કરી રહી છે. નોસ્ત્રાડેમસે સદીઓ પહેલા લેસ પ્રોફેટીસ નામના પુસ્તકમાં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી.

Nostradamus predictions about 2022: ભારે ઉથલપાથલવાળું છે વર્ષ 2022, આ નેતાનું થશે મોત, જાણો નોસ્ત્રાડેમસની 7 ભવિષ્યવાણી

Nostradamus most important predictions about 2022: ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાડેમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને સ્તબ્ધ કરી રહી છે. નોસ્ત્રાડેમસે સદીઓ પહેલા લેસ પ્રોફેટીસ નામના પુસ્તકમાં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આ બુકની પહેલી એડિશન 1555માં આવી હતી. પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે જેમાંથી 70 ટકા સાચી પડી છે. તેમની ભવિષ્યવાણીઓ કઈંક છંદમાં લખાયેલી છે, જેને 'ક્વોટ્રેન' કહે છે. નવું વર્ષ આવવાનું છે આવામાં વર્ષ 2022 માટે નોસ્ત્રાડેમસે શું કહેલું છે તે જાણીએ. 

2022માં શું છૂપાયેલું છે?
ફ્રેન્ચ ફિલોસોફર નોસ્ત્રાડેમસે ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે દુનિયા ક્યારે, ક્યા અને કેવી નાટકીય રીતે ખતમ થઈ જશે. તેમની અનેક ભવિષ્યવાણીઓ જેમ કે હિટલરની તાકાતમાં વધારો, ફ્રેન્ચ ક્રાંતિ, દ્વિતિય વિશ્વયુદ્ધ, 11 સપ્ટેમ્બરનો આતંકી હુમલો અને પરમાણુ બોમ્બના વિકાસની વાત એકદમ સાચી ઠરી. તેમણે કોરોના મહામારીની શરૂઆતની ભવિષ્યવાણી પણ કરી હતી. વાર્ષિક રાશિફળ મુજબ તેમની 70 ટકાથી વધુ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં પૂરી થઈ ચૂકી છે. ફ્રાન્સના મહાન જ્યોતિષનું મોત 2 જુલાઈ 1566માં થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીઓએ તેમના નામને હજુ જીવિત રાખ્યા છે. નોસ્ત્રાડેમસના ફોલોઅર્સ મુજબ તેમણે 2022ને એક ખરાબ વર્ષ બતાવ્યું છે. આ દરમિયાન દુનિયામાં શું થઈ શકે છે અને કેવી રીતે બચાવ કરી શકાય તે જાણીએ. 

કિમ જોંગ ઉનના મોતની ભવિષ્યવાણી
નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓના અનુવાદક અને દુભાષિયાના જણાવ્યાં મુજબ નોસ્ત્રાડેમસે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના મોતની ભવિષ્યવાણી કરી છે. સેન્ચુરિયા IV ના 14માં ક્વોટ્રેનમાં તેમણે લખ્યું છે કે એક શક્તિશાળી વ્યક્તિના અચાનક મોતથી બદલાવ આવશે. તેનાથી રાજ્યમાં નવો ચહેરો ઉભરીને આવી શકે છે. નોસ્ત્રાડેમસની થીયરી પર ભરોસો કરનારાનું અનુમાન છે કે નાટકીય રીતે જે મોટા નેતાના વજન ઘટવા અને તેના સ્વાસ્થ્ય અંગે સતત અફવાઓનો દોર ચાલ્યો તે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન છે. આ વર્ષ ઓક્ટોબરમાં એક મિસાઈલ પ્રદર્શન બાદ તેઓ જોવા મળ્યા થી. જે છેલ્લા 7 વર્ષની સૌથી લાંબી ગેરહાજરી હતી. કિમની તસવીર 15 નવેમ્બરે સામે આવી તો તેમાં તેમના સ્વાસ્થ્ય અંગે જે અટકળો ચાલુ હતી તેને બળ મળી ગયું. 

तानाशाह किम जोंग उन की मौत की भविष्यवाणी

પૃથ્વી સાથે ટકરાશે ધૂમકેતુ
નોસ્ત્રાડેમસે પોતાના એક ક્વોટ્રેનમાં પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાવવાની વાત પણ કરી છે. જે ભૂકંપ અને પ્રાકૃતિક આફતોનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તે એસ્ટેરોઈડ ઉકળવાનું શરૂ કરશે. આકાશમાં આ નજારો ગ્રેટ ફાયર જેવો જોવા મળશે. 

બ્રેઈન ચિપ કોન્સેપ્ટ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર નિર્ભરતા વધશે
માનવ જાતિને બચાવવા માટે અમેરિકી સૈનિકોને ઓછામાં ઓછું દિમાગી સ્તરે સાઈબોર્ગ્સની જેમ બદલી નાખવામાં આવશે. આ માટે બ્રેઈન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચિપ માણસના મગજની બાયોલોજિકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરશે. 

પ્રવાસીઓનું સંકટ
નોસ્ત્રાડેમસ આ સંકટ વિશે લખે છે કે લોહી અન ભૂખની મોટી આફત આવશે. અહીં સાતવાર સમુદ્ર તટ, ભૂખ અને બંદી બનાવવાની વાત લખાઈ છે. તેનો અર્થ એ છે કે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ માણસોની ભૂખ વધારશે. તેનાથી ગેરકાયદેસર પ્રવાસીઓનો પ્રવાહ વધશે. લોકો સમુદ્રી રસ્તે બીજા દેશો તરફ રવાના થશે. જાણકારોનું માનવું છે કે અહીં સાતવાર સમુદ્ર તટોનો ઉલ્લેખ થવાનો અર્થ એ છે કે 2022માં વીતેલા વર્ષોની સરખામણીએ સામાન્યથી 7 ગણા વધુ પ્રવાસી યુરોપના સમુદ્ર તટો પર પહોંચશે. આમ પણ ઈંગ્લિશ ચેનલમાં 27 લોકોના મોત બાદ બ્રિટન, અને યુરોપમાં ગેરકાયદેસર અપ્રવાસન એક ગરમાગરમ રાજનીતિક ચર્ચાનો મુદ્દો પણ બનેલો છે. 

प्रवासियों का संकट

યુરોપમાં યુદ્ધ
2022ની ભવિષ્યવાણીઓમાં એકનો સંબંધ ફ્રાન્સની રાજધાની સાથે પણ છે. જે યુરોપમાં યુદ્ધ થવાનો સંકેત આપે છે. આ પેરેગ્રાફમાં નોસ્ત્રાડેમસે લખ્યું છે કે એક મહાન શહેરની ચારેબાજુ ખેતરો અને શહેરોમાં રહેનારા સૈનિક હશે. ફ્રેન્ચ અનુવાદકો અને તેના સમર્થકોએ જણાવ્યું કે તેમાં તેમણે ફ્રાન્સની રાજધાની પેરિસની ઘેરાબંધી થવા અને યુરોપમાં યુદ્ધના સંકેત આપ્યા છે. જેની સરખામણી વીતેલા 10 વર્ષની ઘટનાઓ સાથે કરીએ તો આ જ વર્ષે હાલમાં જ ફ્રાન્સની રાજધાનીમાં કોવિડ પ્રતિબંધોને લઈને થયેલા તોફાનો વચ્ચે અરાજક દ્રશ્યો અને ઘટનાઓ જોવા મળી. વર્ષ 2015માં પેરિસમાં થયેલા ISIS ના હુમલામાં 130 લોકોના મોત થયા હતા. આ દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સ પર સૌથી ઘાતક હુમલો હતો. 

ભૂકંપ
કહેવાય છે કે નોસ્ત્રાડેમસની સેન્ચ્યુરિયા III ના ત્રીજા ક્વાટ્રેનમાં 2022માં જાપાનમાં એક મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરાઈ છે. તેમણે લખ્યું છે કે ચરમ સંકટ તરફ/ એશિયાનો એક દેશ હશે. તેની ઊંડાઈ પ્રમાણે તેને ભૂકંપ કહેવામાં આવશે. આ વર્ષ 7 ઓક્ટોબરે જાપાનમાં 5.9ની તીવ્રતાવાળા ભૂકંપે ગ્રેટર કાંટો વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. તેણે ભવિષ્યમાં ભૂકંપથી મોટી તબાહી સર્જાવવાના સંકેત આપ્યા હતા. આ ભૂકંપ 11 માર્ચ 2011ના રોજ તોહોકૂ વિસ્તારને તબાહ અને બરબાર કરનારા ભૂકંપના આંચકા જેવો હતો. જેણે જાપાનની રાજધાની માટે પણ શુભ સંકેત નહતા આપ્યા. 

यूरोपियन यूनियन का पतन

યુરોપિયન યુનિયનનું પતન
નોસ્ત્રાડેમસે સેંકડો વર્ષ પહેલા યુરોપીના દેશોના સંગઠન એટલે કે EU ના બનવાની ભવિષ્યવાણી કરી હતી. 2022 વિશે વાત કરીએ તો ફ્રાન્સના આ જ્યોતિષીએ યુરોપિયન યુનિયનના પતનની ભવિષ્યવાણી કરી છે જે વર્ષ 2016માં  બ્રિટન દ્વારા બ્રેક્ઝિટ અંગે થયેલા પહેલા મતદાન બાદથી સતત મુસીબતોમાં ઘેરાઈ રહ્યું છે. બ્રિટન પોતે પણ તેના મારથી બાકાત નથી. 2021માં સમગ્ર ઈંગ્લેન્ડમાં ડ્રાઈવરોની કમીના કારણે આ બ્રેક્ઝિટ હતી જેના પગલે લોકો ખાવા પીવાની વસ્તુઓ અને પાણીની એક બોટલ સુદ્ધા માટે તરસી ગયા હતા. નોસ્ત્રાડેમસના જણાવ્યાં મુજબ એવો દાવો કરાયો છે કે બ્રેક્ઝિટ ફક્ત શરૂઆત હતી અને 2022માં સમગ્ર યુરોપીયન યુનિયનનું પતન થવાનું નક્કી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news