હે રામ બસ કર હવે! યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટકના લીધે મોત, પરીવારને કલ્પાંત કરતા છોડી ગયા

Heart Attack: રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીમાં એડ્વોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું મોત થયું છે. ઘરે હતા તે સમયે ભૂપેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ અટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં મોત થયું હતું.

હે રામ બસ કર હવે! યુવા એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટકના લીધે મોત, પરીવારને કલ્પાંત કરતા છોડી ગયા

Heart Attack Risks: આજકાલ હાર્ટ એટેકના ખતરનાક કેસ જોવા મળી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ અચાનક ચાલતાં ચાલતાં પડી જાય છે અને મૃત્યુ પામે છે. તાજેતરમાં જ રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના મોત થયા હતા. આ સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. મોરબીમાં એડ્વોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટકના લીધે મોત થયું છે. મોરબીના દાઉદી પ્લોટમાં 47 વર્ષીય એડ્વોકેટ રહેતા હતા. તેઓ ઘરે હતા તે સમયે ભૂપેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ અટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં તેમનું મોત થયું હતું.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મોરબીના યુવા એડવોકેટ ભુપેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ભુપીનું આજે વહેલી સવારે તેઓના ઘરે હૃદય રોગના હુમલાના લીધે અવસાન થયેલ છે. જેને પગલે મોટી સંખ્યામાં એડવોકેટ મિત્રો તથા રાજપૂત સમાજના લોકો તેઓની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. મૂળ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) સ્ટેટ પરીવારના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નંબર-4 માં રહેતા તેમજ મોરબી નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર જીતુભા જાડેજાના નાના ભાઈ એડ.ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજા ઉર્ફે એડવોકેટ ભૂપી (ઉમર 47) ને આજે વહેલી સવારે મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં તેઓના રહેણાંક મકાન ખાતે હૃદય રોગનો હુમલો આવતા તેઓનું અવસાન થયેલ છે. 

તેઓ બે સંતાન સહીતના પરીવારને કલ્પાંત કરતા છોડી ગયા હતા. હાલમાં નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાના લીધે અવસાનના જે બનાવો બની રહ્યા છે, તે બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. હાલ આ બનાવના લીધે મોરબીના વકીલ મંડળમાં તથા જાડેજા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

નોંધનીય છે કે, એક અભ્યાસ પ્રમાણે હાર્ટ એટેકના મોટાભાગના કેસ પુરુષોમાં જોવા મળે છે. હવે એક અભ્યાસમાં આ ખતરાને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. રિસર્ચ મુજબ ઓફિસ વર્કને કારણે પુરુષોમાં હાર્ટ એટેકનો ખતરો બમણો થઈ જાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે જે પુરુષો ઓફિસમાં તેમના કામની પ્રશંસા મળતી નથી તેઓમાં તણાવ વધે છે. જેના કારણે જીવલેણ હૃદય રોગનું જોખમ બમણું થઈ શકે છે. 

આ રીતે થયું નવીનતમ સંશોધન 
કેનેડિયન સંશોધકોએ લગભગ બે દાયકાઓ સુધી સ્ટ્રેસ અને એફર્ટ રિવોર્ડ ઈમ્બૈલેંસ (ERI) પર સંશોધન કર્યું હતું. તેઓએ 18 વર્ષ સુધી વ્હાઇટ કોલર જોબ કરનાર 6,465 પુરુષો અને સ્ત્રીઓનો અભ્યાસ કર્યો. આ સહભાગીઓને દિલની કોઈ બિમારી ન હતી. જેમાંથી 3118 પુરુષો અને 3347 મહિલાઓ હતા. જેની સરેરાશ ઉંમર 45 વર્ષ હતી.

તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો 
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરૂષ સહભાગીઓએ તણાવપૂર્ણ વાતાવરણનો અનુભવ કર્યો હતો અથવા ઓછા વખાણ મેળવ્યા હતા તેમને હૃદય રોગનું જોખમ 49 ટકા વધી ગયું હતું. જે પુરુષોએ તણાવપૂર્ણ કામ અને ERI બંનેનો સામનો કર્યો હતો તેમને હૃદય રોગનું જોખમ બમણું હતું. જો કે, સંશોધકો મહિલાઓમાં આ વસ્તુઓની અસરને માપવામાં સફળ રહ્યા ન હતા.

હાર્ટ એટેકનું જોખમ
હૃદયરોગના કારણે હૃદય સુધી પૂરતું લોહી પહોંચતું નથી. જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે. નોકરિયાતો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે, તેથી આ સંશોધન લોકોના સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કર્મચારીઓ પર આ રોગનું જોખમ ઘટાડવું હોય તો તણાવપૂર્ણ કામની પરિસ્થિતિઓને તાત્કાલિક સુધારવી જોઈએ અને કર્મચારીઓ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવવું જોઈએ.

ERI અને નોકરી સંબંધ
Frontiers in Psychology પર અન્ય સંશોધન ERIને વિગતવાર સમજાવે છે. આ સ્થિતિમાં, કાર્ય સંબંધિત દબાણ વધે છે કારણ કે તેમના પ્રયત્નો અને કાર્યને ઓફિસમાં પૂરતું પ્રોત્સાહન મળતું નથી. અભ્યાસના મુખ્ય લેખકે કહ્યું કે આવા વાતાવરણમાં કર્મચારીઓ પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા કામની માંગ કરવામાં આવે છે, પરંતુ કામ પર ઓછું નિયંત્રણ હોય છે. તેમણે આ બે બાબતોની હૃદય પર પડનારી અસરનો અભ્યાસ કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news