Tuesday Upay: મંગળવારના આ 7 ઉપાય છે ચમત્કારી, કરનારને સંકટથી મુક્ત કરે છે બજરંગબલી

મંગળવાર

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

ચમત્કારી ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે 7 ચમત્કારી ઉપાય કરી શકાય છે.

નાળિયેર

મંગળવારના દિવસે એક નાળિયેર લઈ તેના પર સિંદૂર, મૌલી અને ચોખા ચઢાવી હનુમાનજીને અર્પણ કરી દેવું.

ચંદન

મંગળવારની સાંજે ચંદનની ગોટી પર પીળો દોરો બાંધી કેળાના ઝાડ પર બાંધી દેવાથી લગ્નમાં આવતી બાધા દુર થાય છે.

તેલનો દીવો

જો તમને માનસિક ચિંતા કે નકારાત્મક ઊર્જાની સમસ્યા છે તો મંગળવારે સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો.

નોકરીમાં પ્રમોશન

નોકરીમાં પ્રમોશન અટકેલું હોય તો સરસવના તેલના દીવામાં લવિંગ ઉમેરી હનુમાનજીની આરતી કરવી.

તુલસીના 108 પાન

રાહુ દોષથી મુક્તિ મેળવવા માટે મંગળવારે તુલસીના 108 પાન લઈ તેના પર ચંદનથી રામ નામ લખી તેની માળા બનાવી હનુમાજીને ચઢાવો.

મંગળવારે વ્રત

મંગળવારે વ્રત કરવું અને વાંદરાને ગોળ ચણા ખવડાવવા. તેનાથી ધનની આવક વધે છે.