ઉનાળાના સમયમાં અનાનસ ખાવું ફાયદાકારક સાબિત થાય છે. અનાનસ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.
જો તમે રોજ એક ગ્લાસ અનાનસનો રસ પીવો છો તો તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે.
અનાનસ કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી થી ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ પણ હોય છે.
જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમના માટે એક ગ્લાસ અનાનાસનો રસ દવાની જેમ અસરકારક સાબિત થાય છે.
અનાનસનો રસ પીવાથી હૃદય સંબંધિત સમસ્યા પણ થતી નથી. બ્લડ પ્રેશરના દર્દી માટે અનાનસનો રસ ફાયદાકારક છે.
પાઈનેપલ કેલ્શિયમથી ભરપુર હોય છે તે હાડકાને પણ મજબૂત બનાવે છે.
આંખ માટે પણ અનાનસ ફાયદાકારક છે. આંખની રોશની વધારવા માટે અનાનસનો રસ પીવો જોઈએ.