આ જાતકોને મળશે સૂર્ય દેવના આશીર્વાદ, જીવનમાં થશે પ્રગતિ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ

14 મેએ સૂર્ય દેશ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરશે. સૂર્યની સ્થિતિ શુભ થવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. સૂર્યના આ ગોચરથી કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે. 

Sun Transit

1/5
image

ગ્રહોના રાજા મેષ રાશિમાં બિરાજમાન છે, જે 2 દિવસ બાદ પોતાની ચાલ બદલવાના છે. 14 મેના દિવસે મેષ રાશિથી વૃષભ રાશિમાં સૂર્ય ગોચર કરશે. સૂર્યની સ્થિતિ શુભ થવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. તો સૂર્ય દેવ 14 જૂન સુધી શુક્રની રાશિમાં બિરાજમાન રહેછે. તેવામાં સૂર્ય ગોચરથી કેટલાક જાતકોનો સારો સમય શરૂ થઈ જશે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે..  

મેષ રાશિ

2/5
image

વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો માટે ભાગ્યશાળી માનવામાં આવી રહ્યું છે. આ સમયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારૂ ધ્યાન કામ પર રહેશે. કામને લઈને તમારી પ્રશંસા થશે. કોર્ટ-કચેરીના મામલામાં તમને જીત મળશે. તો જીવનસાથી સાથે સમય પસાર કરવો સારો રહેશે. 

સિંહ રાશિ

3/5
image

સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખુબ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમારી મુશ્કેલી સમાપ્ત થવા લાગશે અને માન-સન્માન પણ મળશે. તમને તમારા પિતા તથા ગુરૂનો ભરપૂર સપોર્ટ મળવાનો છે. ધાર્મિક ગતિવિધિઓમાં મન લાગશે. તો પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ રાશિ

4/5
image

સૂર્યનું ગોચર કુંભ રાશિના જાતકો માટે શુભ સાબિત થવાનું છે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. વેપારમાં આવી રહેલી સમસ્યા ધીમે-ધીમે દૂર થવા લાગશે. તમે તમારી પ્રતિભાથી દરેક મુશ્કેલી સરળતાથી પાર કરી લેશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.   

ડિસ્ક્લેમરઃ

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.