રામાયણ સંલગ્ન અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ કેટલાક એવા પણ છે જે ખુબ રસપ્રદ છે અને આપણે કદાચ અજાણ છીએ.
આવો જ કિસ્સો વિભીષણની પુત્રી અને લંકાપતિ રાવણનો પણ છે.
વિભીષણની દીકરીનું નામ ત્રિજટા હતું. ત્રિજટા સૌંદર્ય અને બુદ્ધિની ધની હતી.
ત્રિજટાનું વર્ણન ખુબ જ સુંદર અને સારા વિચારોવાળી રાક્ષસી તરીકે થાય છે.
લંકાપતિ રાવણ ખુબ શક્તિશાળી અને બળવાન હતો. પરંતુ આમ છતાં તે ત્રિજટાથી ડરતો હતો.
ત્રિજટાને પહેલેથી જ સપનું આવી ગયું હતું કે એક વાનર આવશે જે લંકા બાળી મૂકશે.
આ સાથે જ તેણે સપનું જોયું હતું કે ભગવાન રામ માતા સીતાને બચાવવા માટે લંકા આવશે.
ત્રિજટા પાસે અનેક દિવ્ય શક્તિઓ હતી. રાવણને ત્રિજટાની શક્તિઓનો અંદાજો હતો, આ જ કારણ છે કે તે તેનાથી ડરતો હતો.