લેઉવા પાટીદાર News

પાટીદાર ઉમિયા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત લાખો પાટીદારો ઉમટી પડ્યાં
અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.જેનો આજથી ત્રીદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો  પ્રારંભ થયો છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉમિયા માતાજી મંદિર ખાતે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસના પ્રથમ ચરણમાં પ્રાંત પૂજામાં દેહ શુદ્ધિ યજ્ઞ થયો હતો બાદમાં સહસ્ત્ર ચંડી ૧૦૯ કુંડી અને પ્રાણ પ્રતિષ્ઠા નવ કુંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં ૨૦૦ થી વધુ જોડા યજ્ઞમાં ભાગ લીધો હતો.
Feb 24,2020, 22:27 PM IST

Trending news