100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે. 

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

નવી દિલ્હીઃ વૈદિક જયોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગ બનશે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારબાદ સૂર્ય દેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તો મહિનાના અંતમાં ગ્રહોના રાજકુમાર બુધ પણ વૃષભ રાશિમાં ગોચર કરશે. આ સિવાય ચતુર્ગ્રહી યોગની સાથે સાથે ગુરૂ-શુક્રની યુતિથિ ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થયું છે. આ સિવાય સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ અને શુક્ર સૂર્યની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનો પ્રભાવ રહેશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ...

વૃષભ રાશિ
તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે. સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમયે તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયમાં તમે ધન, વેપાર, સંપત્તિ, પારિવારિક મામલામાં લાભ મેળવશો. આ સમયમાં તમે કોઈ સંપત્તિ કે વાહન વગેરે ખરીદી શકો છો. તો તમારી દૈનિક આવકમાં વધારો થશે. સાથે રોકાણથી લાભનો યોગ છે.

કન્યા રાશિ
એક સાથે ગુરૂ, શુક્ર, બુધ અને સૂર્યનો સંયોગ તમારા માટે અનુકૂળ રહેશે. આ દરમિયા તમારા કામ-કારોબારમાં સારી સફળતા મળશે. તો ગુરૂની પંચમ દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે. તેવામાં ચારેય શુભ ગ્રહ મળી તમને શિક્ષણના મામલામાં સફળતા અપાવશે. સાથે આ દરમિયાન સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમને પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ સમયે અચાનક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે. 

મકર રાશિ
તમારા લોકો માટે ચતુર્ગ્રહી યોગનું બનવું લાભદાયી રહેશે. કારણ કે ગુરૂની નવમ દ્રષ્ટિ તમારી રાશિ પર રહેવાની છે. સાથે મકર રાશિથી બીજા ભાવમાં રાશિ સ્વામી શનિ પણ બેઠા છે, જે ખુબ શુભ છે. તો આ સમયે નોકરી કરનાર જાતકોને સારા પગારની સાથે પ્રમોશન મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેને ધનલાભ થઈ શકે છે. તમારા કારોબારનો વિસ્તાર થઈ શકે છે. સાથે જે બેરોજગાર લોકો છે તેને આ સમયે નોકરી મળી શકે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news