મા સરસ્વતીને જ્ઞાન અને વિવેકના દેવી માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે મા સરસ્વતી 24 કલાકમાં એકવાર આપણી જીભ પર જરૂર બિરાજમાન હોય છે.
માન્યતા છે કે તે સમયે આપણા દ્વારા બોલવામાં આવેલી વાત સાચી પડે છે.
ચાલો જાણીએ મા સરસ્વતી આખરે કયાં સમયે જીભ પર બિરાજમાન હોય છે.
હિન્દુ ધર્મમાં સવારે 3 કલાક બાદ અને સૂર્યોદય પહેલાના સમયને બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે.
આ સમયને નવા દિવસની શરૂઆત માનવામાં આવે છે. આ સમયને શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર સવારે 3.20 મિનિટથી 3.40 મિનિટ વચ્ચે મા સરસ્વતી વ્યક્તિની જીભ પર બેસે છે.
આ સમય વચ્ચે જો મનમાં સારી વાત બોલવામાં આવે કે મછી મનમાં લાવવામાં આવે તો તે જરૂર પૂરી થાય છે.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.