ભારતમાં સાપને ભગવાન શિવના કારણે પૂજનીય માનવામાં આવે છે.
મહારાષ્ટ્રના પુણેથી 200 કિલોમીટર દૂર સોલાપુર જિલ્લામાં શેટપાલ નામનું ગામ છે.
અહીંના દરેક ઘરમાં કોબ્રા સાપ બિરાજે છે. આ વાત માનવી મુશ્કેલ છે પરંતુ સત્ય છે.
આ ગામમાં દરેક ઘરમાં રોજ સાપની પૂજા થાય છે. આ ગામ અનોખું છે.
આ ગામમાં સાપ રસ્તા પર આરામથી ફરતા જોવા મળે છે. લોકો તેમને પકડતા પણ નથી અને નુકસાન પણ કરતા નથી.
આ ગામના દરેક ઘરમાં કોબ્રા સાપને પણ પરીવારના સભ્યની જેમ રાખવામાં આવે છે.
શેટપાલના લોકોએ ઝેરી સાપ સાથે રહે છે જેના કારણે તેઓ પ્રખ્યાત થયા છે.
અહીંના દરેક ઘરમાં એક ખૂણાને દેવસ્થાન ગણી કોબ્રા સાપ માટે ખાલી રાખવામાં આવે છે.
અહીં જો નવું ઘર પણ બને તો સાપ માટે એક ખાસ જગ્યા રાખવામાં આવે છે જ્યાં તે રહી શકે.